Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

દામનગરઃ હમીરભાઈ મારૂ એએસઆઈને નિવૃતિ વિદાયમાનઃ અગ્રણીઓ હાજર

દામનગર, તા. ૪ :. લાઠી તાબાના નાની રાજકોટના વતની મારૂ હમીરભાઈ કે જેઓ દામનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વય મર્યાદાને કારણે યશસ્વી ફરજ બાદ નિવૃત થતા પોલીસ પરિવાર, આગેવાનો, પત્રકારો દ્વારા નિવૃતિ વિદાયમાન આપવામાં આવેલ છે.

ઉકત પ્રસંગે પોલીસ મિત્ર બી.ડી. પટેલ, પત્રકાર ગીરીબાપુ, નટવરલાલભાઈ, વિનુભાઈ જયપાલ, વિમલભાઈ ઠાકર, રામજીભાઈ નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ, સુરેશભાઈ અજમેરી, આંબાભાઈ કાકડીયા, ભુરાભાઈ ભરવાડ, ભોળાભાઈ ભરતભાઈ કોળી, તુષારભાઈ પાઠક, હારૂનભાઈ, મુકેશભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમને સફળ બનાવવા દામનગર પીએસઆઈ એન.જે. ગોસાઈ, એએસઆઈ પી.એન. કાલાવડીયા, હેડ કોન્સ. પી.એન. ભરવાડ, પોલીસમેન ગઢવીભાઈ વિ. કાર્યરત રહેલ.

(11:20 am IST)