Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

લોધીકાના દેવગામમાં દાઝી ગયેલી કુંભાર તરૂણી હેમાંશીનું મોત નિપજ્યું

રાજકોટ તા. ૩: લોધીકાના દેવગામમાં રહેતી હેમાંશી પંકજભાઇ વીસપરા (ઉ.૧૬) નામની વરીયા કુંભાર તરૂણી પરમ દિવસે  ઘરે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેનું આજે સવારે મોત નિપજ્યું છે.

હેમાંશી એક ભાઇથી મોટી હતી અને મેટોડા જીઆઇડીસીની ગંગોત્રી વિદ્યાલયમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી હતી. ચુલા પર રોટલા બનાવતી હોઇ કેરોસીન નાંખતા ડબલુ ઢોળાતાં ભડકો થવાથી દાઝી ગયાનું તેણીએ સારવારમાં હતી ત્યારે કહ્યું હતું. તેના પિતા પંકજભાઇ ફર્નિચરનું કામ કરે છે. દિકરીના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:22 am IST)