Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

રાણાવાવ તાલુકાના આદિત્યાણા ખાતે કેમીકલ વાળી ડોલમાં છાસ બનાવી પીતા 18 જેટલા શ્રમીકોને ઉલટી-અને ચકકર આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે હાલ તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે

પોરબંદર: અદિત્યત્યાણા ગામે વાડી વિસ્તારમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ઝેરી અસર થતા ચકચાર મચી ગઈ છે. શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઉલ્ટી, ચક્કર આવવા લાગતા ગભરાહટ ફેલાઈ હતી. શ્રમિકોને રિક્ષા મારફત તેમજ 108 મારફત ખસેડાયા છે. આ અંગે સામે આવેલી વિગોત અનુસાર ઝેરી દવાવાળી ડોલને સાફ કર્યા વિના તેમાં છાશ બનાવતા ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોરબંદર સરકારી હોસ્પિટલમાં તમામ શ્રમિકોને સારવાર માટે ખસેડાયા છે.

 

 

(11:28 pm IST)