Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

મોરબી પુલ દુર્ઘટના : ગૌશાળામાં ૫૧ હજારનું દાન

મોરબી : સેવાકાર્યોમાં હંમેશા તત્પર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન તથા 'સેવા એજ સંપતિ' ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા પોતાની સેવા-સુશ્રુષાને કારણે ગુજરાતભરમાં નામના હાંસલ કરી ચુક્યા છે. અને તેમના સેવા કાર્યોની સુવાસથી  નેતા-અભિનેતા પણ પ્રભાવિત થયા છે. લોકસેવક અજયભાઇએ લોરિયાએ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે મોરબીની યદુનંદન ગૌશાળામાં રૃ.૫૧,૦૦૦નું દાન કર્યું હતું અને દુર્ઘટનાના મૃત્યુ પામેલા ૧૩૫  દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.(

(1:13 pm IST)