Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

વિસાવદરમાં રેલ્વે આંદોલન ત્રીજા દિવસમાં પ્રવેશ્યું : ૧૧ આગેવાનોના ધરણા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩: વિસાવદરમાં ત્રણ મીટરગેજટ્રેનો ત્વરીત શરૂ કરવાની માંગ સાથેનુ ચેમ્બર ઓફ કોમર્સનાં નેજા તળેનુ ઉપવાસ આંદોલન આજે ત્રીજા દિવસમાં પ્રવેશ્યુ છે.આજે દિલીપભાઇ કાનાબાર, લલીતભાઇ ભટ્ટ, ઇલ્યાસભાઇ ભારમલ, જે.પી.છતાણી, હિંમતભાઇ દવે, જીતુભાઇ રિબડીયા, જશુભાઇ બસીયા, નિલેશભાઇ દવે, બટુકભાઇ કારીયા, ભીખુભાઇ ડોડીયા, કિશોરદાસ ગોંડલિયા સહિતના ૧૧ આગેવાનો પ્રતિક ઉપવાસ પર છે.

(12:53 pm IST)