Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અભયભાઇના નિધનથી સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં ખાલીપો : મેરજા

રાજકોટ આવી શ્રધ્ધાંજલી અર્પતા મોરબીના ધારાસભ્ય

રાજકોટ,તા. ૩: મોરબીના ભાજપના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજાએ રાજ્યસભાના સભ્ય શ્રી અભયભાઇ ભારદ્વાજના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી અર્પતા જણાવેલ કે તેમની ચિરવિદાયથી સૌરાષ્ટ્રને જાહેર જીવનમાં ખાલીપો સર્જાયો છે. મારે તેમની સાથે ૪ દાયકા જુનો સંબંધ હતો. મે સહૃદયી મિત્ર ગુમાવ્યા છે.

શ્રી બ્રિજેશ મેરજાએ શ્રી નીતિન ભારદ્વાજને સાંત્વના આપી ભારદ્વાજ પરિવાર સાથેના સ્મરણો વાગોળ્યા હતા.

(11:25 am IST)