Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા વિંછીયા તાલુકાના ૧૦ ગામોમાં વોટર સિકયુરીટી પ્લાન અંતર્ગત વર્કશોપ યોજાયો

(ધર્મેશ કલ્યાણ દ્વારા) જસદણ તા.૩ :  પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર છેલ્લા ૩૩ વર્ષથી જળ,જમીન,જંગલ,ખેતી અને પર્યાવરણ ના શિક્ષણ અને જાગૃતિ નું કાર્ય જસદણ વિછીયા વિસ્તારમાં કરી રહ્યું છે આ ક્ષેત્ર માં અગત્યનું પરિબળ એટલે પાણી કે જેના વિના જન જીવન અને ખુબ અગત્યનો વ્યવસાય એવો ખેતી-પશુપાલન જે શકયજ નથી. આ પાણી ની સલામતી ઉભી થાય એટલા માટે જર્મન સ્થિત એજન્સી એચએસએસના આર્થિક સહયોગ થી જલસેતુ પ્રોજેકટચલાવવામાં આવી રહ્યો છે.

આ પ્રોજેકટ અંતર્ગત વિછીયા તાલુકાના ૧૦ ગામમાં છેલ્લા ૧ વર્ષથી પાણી સલામતી નું આયોજન અને પાણીના અંદાજ પત્ર વિશેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ,જેની સમજણ ગામ લેવલે સારી રીતે ઉભી થાય એટલા દરેક ગામમાંબે જલદુત યુવાનોનીહરોળ પણ ઉભી કરવામાં આવી છે, જેને વખતો વખત તાલીમ આપી અને આ વિષયનું જ્ઞાન આપવામાં આવ્યું છે . જલસેતુકાર્યક્રમ અંતર્ગત દરેક ગામમાં કુવા/બોર સર્વે ,જમીન ઉપયોગીતા મેપ ,વોટર શેડ મેપ ,ભૂસ્તરીય નકશો,જમીન માં રહેલા વિવિધ એકવીફર(ખડકો) નો અભ્યાસ ,કુવામાં જળ સ્તરની તપાસ પદ્ઘતિ થી જમીન માં રહેલી પાણી સંગ્રહ ની અને રીચાર્જ ની શકયતાઓ નો અભ્યાસ કરી વરસાદી પાણી ની સલામતી કઈ રીતે ઉભી થાય એનો પ્લાન એટલેકે વોટર સિકયુરીટી પ્લાન બનાવવામાં આવ્યા છે.આપ્લાનની સમજણ અને એમાં ગામ લોકોની ભાગીદારી, તેનું અમલીકરણ ,અમલીકરણમાં ગામલોકો ની ભૂમિકા ,સરકારી યોજનાઓ સાથે પ્લાનનુંજોડાણ વગેરે વિષય પર આ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંઅઈઝ સંસ્થા, ભુજ દ્વારા પાણી સલામતી પ્લાન લોકો સાથે સેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે પાણી રોકવાની અને પાણી જમીનમાં ઉતારવાની સારી શકયતાઓ સીમતળમાં કયાં સ્થળો/પોઈન્ટ્સ પર આવેલી છે. આ પ્લાન જસદણ-વિછીયા વિસ્તારમાં કાર્ય કરતી કેટલીક કંપનીઓ તથા સરકારશ્રીના વિભાગો સાથે સેર કરવામાં આવશે, જેના આધારે ૧૦ ગામમાં પ્લાનનું અમલીકરણ કરવાનું પણ આયોજન છેકાર્યક્રમમાં વિષય નિષ્ણાંત તરીકે એસીટી સંસ્થાના ડાયરેકટરશ્રી યોગેશ જાડેજા, શ્રી ગૌરવભાઈ હાજર રહ્યા હતા. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સુમન રાઠોડ ,રીટા રાઠોડ ,નીતિન અગ્રાવત એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી.

(11:25 am IST)