Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

અંકલેશ્વરમાં ધાડ વિથ ત્રિપલ મર્ડરના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) ભરૂચ જીલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ધાડ વિથ ત્રિપલ મર્ડરના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય જેને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લીધો છે.

એકાદ વર્ષ પૂર્વે ભરૂચ જીલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પી જી ગ્લાસ નામની બંધ કંપનીમાં ભંગાર પડેલ હોય જે મિલકત સાચવવા સિકયુરીટી રાખેલ હોય અને ભંગાર ચોરી કરવા ૨૫ થી ૩૦ ઈસમોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો અને સિકયુરીટી માણસોએ સામનો કરતા ત્રણની હત્યા કરી ધાડને અંજામ આપી ટોળકી નાસી ગઈ હતી જે ગુન્હામાં ૧૩ આરોપીના નામો ખુલતા પાંચ આરોપી ઝડપાયા હતા અને આઠ આરોપીજ્ઞ નાસતા ફરતા હોય. જેમાં આરોપી યજ્ઞેશ ઉર્ફે મુંડીયો કલ્યાણ સોલંકી (ઉ.વ.૨૦) રહે હાલ રંગપર જેતપર રોડ પાવલીયારી કેનાલ પાસે આર્કીટોન સિરામિક ઓરડીમાં ર્હેઓ હોય જેને પાવાલીયારી કેનાલ પાસેથી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:22 am IST)