Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પડધરીના તરઘડીમાં પરણીતાને આપઘાત માટે મજબુર કરનાર પતિ સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૩: પડધરીના તરઘડી ગામે પરણીતાને આપઘાત માટે મજબુર કરનાર પતિ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીનાતરઘડી ગામે રહેતી સરલાબેન નામની પરીણીતાએ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક પરીણીતાના પિતા રાજેશભાઇ પુંજાભાઇ રાઠોડ (રહે. નિશાળ ફળીયું, તા. ગરબાડા)એ આપઘાત માટે મજબુર કરનાર પતિ વિજય મથુરભાઇ ગોહેલ (રહે. દિવાનીયા વર્ડ, તા. ગરબાડા, જી. દાહોદ) સામે પડધરી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યામુજબ ફરીયાદીની પુત્રી સરલાને પતિ વિજય ઘરકામ બાબતે શારીરીક-માનસીક ત્રાસ આપતો હોય પુત્રીએ કંટાળી જઇ આપઘાત કરી લીધો હતો.

પડધરી પોલીસે આ ફરીયાદ અન્‍વયે પતિ વિજય સામે આઇપીસી ૩૦૬ મુજબ ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)