Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કાલે કેરળના રાજયપાલ કુંડલધામની મુલાકાતે

રાજકોટ તા. ૩ : બોટાદ જિલ્લાના સુપ્રસિધ્ધ ધર્મસ્થાન કુંડલધામ ખાતે આવતીકાલે ગુરૂવારે સાંજે ૪ વાગ્યે કેરળના રાજયપાલ શ્રી આરીફ મોહમ્મદખાન આવી રહ્યા છે. કુંડલધામમાં સંસ્થાના વડાશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની નિશ્રામાં દિવાળી નિમિતે સત્સંગ શિબીર ચાલી રહી છે. રાજયપાલ શિબીરમાં હાજરી આપશે તેમજ કુંડલધામ સંકુલની મુલાકાત લેશે.

(2:46 pm IST)