Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જામનગરમાં જયવીનભાઇના ઘેર પૂ. ભાઇશ્રીની પધરામણી

જુનાગઢ : જામનગરના કેળવણીકાર અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પુર્વ પ્રમુખ જયવીનભાઇ દવેના નિવાસ સ્થાને રાષ્ટ્રીય સંત ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ  ઓઝાએ પધારામણી કરી હતી. ત્યારે સમગ્ર દવે પરિવાર હૃદયના ઉમળકાભેર પૂ. ભાઇશ્રીનું સ્વાગત કર્યુ હતું અને પૂ. ભાઇશ્રીએ ત્યાં રોકાણ કરી ભોજન પ્રસાદ પણ લીધો હતો. ત્યારે તેમની સાથે શંકરભાઇ જોષી પણ રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:47 pm IST)