Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાષ્‍ટ્ર જાગરણ અને લોક કલ્‍યાણના વિકાસ માટે ગૃહમંત્રી અમિતભાઇ શાહની સંત સંમેલનમાં ચર્ચા

સંત-સંમેલનમાં ભાગ લેતા જામનગર શ્રી પૂ.નવતનપુરીધામના આચાર્યશ્રી કૃષ્‍ણમણિજી મહારાજ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૩ : આ દેશનું સંત સંમેલન હરિદ્વારમાં જુના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્‍વામી શ્રી અવધેશાનન્‍દગિરિના સાનિધ્‍યમાં મળ્‍યુ હતું.
આ સંત સંમેલનમાં રાષ્‍ટ્ર જાગરણ અને લોક કલ્‍યાણ જેવા વિષયોની ચર્ચાઓ થઇ હતી. ત્‍યારબાદ ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ વિશ્વ કલ્‍યાણ માટે મહામૃત્‍યુજંપ પારદેશ્વર મહાદેવના પૂજન, અર્ચન અને અભિષેક તથા રૂદ્રાક્ષ વૃક્ષના દર્શન પૂજન કર્યા હતા.
આ સંત સંમેલનમાં ઉતરાખંડના મુખ્‍યમંત્રીશ્રી, પુષ્‍કરધામીજી, યોગગુરૂ રામદેવ મહારાજ, સ્‍વામી જ્ઞાનનન્‍દજી મહારાજ તથા હિન્‍દુ ધર્મના સંયોજક પૂ. સ્‍વામી પરમાત્‍માવન્‍દ સરસ્‍વતીજી મહારાજ (રાજકોટ), પૂ.સ્‍વામી નિર્મલાનંદનાથજી મહારાજ (કર્ણાટક), આચાર્ય શ્રી કૃષ્‍ણામણીજી મહારાજ (પ્રણામી સંપ્રદાય) જામનગર મહામંડલેશ્વર સ્‍વામી વિશ્‍લેશ્વરાનંદ સરસ્‍વતી (મુંબઇ) સુરતગીરી બંગલા હરિદ્વાર રાજ્‍યસભાના સાંસદ અને ભાજપના રાષ્‍ટ્રીય મીડીયા પ્રભારી શ્રી અનિલબલુની અને ઉતરાખંડના ડીજીપીશ્રી અશોકકુમાર ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:07 am IST)