Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે કબીર પ્રણાલીકા ઉગમ ફોજનાં સંતોની પધરામણી

 જસદણ : જસદણ ચિતલીયા રોડ પર ઉગમ સત્‍સંગ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પધારેલ ઉગમ પંથના સંતોએ શહેર ના આટકોટ રોડ ઉપર નિર્માણ પામી રહેલ સમસ્‍ત પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે કબીર પ્રણાલિકાᅠ ઉગમફોજ બાંદ્રા ધામ ઉગારામ બાપા ની જગ્‍યા ના મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ પૂજય ગોરધન રામ બાપા તેમજ ભેડા પીપળીયા ધામ થી પુ જેન્‍તી રામ બાપા તથા ગોંડલ ધામ થી પુ રશ્‍મિન બાપા સહિતના સંતો તથા ભોલાભાઇ પટેલ ચંદુભાઈ ગોટી સહિત ના અનુયાયીઓએ પાટીદાર શૈક્ષણિક ભવનમાં પધરામણી કરી હતી અહીંના આગેવાનો દ્વારા તિલક કરી ફૂલોથી વધાવી અને પુષ્‍પમાળા થી સન્‍માન કર્યું હતું આતકે સંતોએ શૈક્ષણિક ભવનની કામગીરીને બિરદાવી હતી ગરીબ વિધાર્થીઓ ના અભ્‍યાસ અને ઘડતર માટે નિશુલ્‍ક જે કાર્ય થઈ રહ્યું છે તે ખૂબ જ સારું થઈ રહ્યું છે આગામી દિવસોમાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે ખૂબ આગળ વધો તેવી શુભકામનાઓ પાઠવી હતી આ તકે પાટીદાર શૈક્ષણિક ભવનના ટ્રસ્‍ટી ભરતભાઈ છાયાણી બાવનજીભાઇ સખીયા પિયુષભાઈ છાયાણી નરેશભાઈ ચોહલિયા પ્રવીણભાઈ છાયાણી પરેશભાઈ ટાઢાણી વિપુલભાઇ ટીલાળા સહિતના આગેવાનોએ ઉગમપંથના સંતોના આશીર્વાદ મેળવ્‍યા હતા આ તકે પાટીદાર શૈક્ષણિક ભવન ના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા એ પૂજય સંતો ને ભવનમાં પધરામણી કરી પાવન કરવા બદલ વંદન સાથે અભિનંદન પાઠવ્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : નરેશ ચોહલીયા-જસદણ)  

 

(11:04 am IST)