Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

‘અકિલા'ની ટીમ ગુજરાત્રીના પાયાના પથ્‍થર એવા વિરલ રાચ્‍છનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ અકિલા ઇન્‍ડિયા ઇવેન્‍ટસ અને ‘ગુજરાત્રી'ના એક મહત્‍વના અંગ અને પાયાના સ્‍તંભ સમા નાટયકર્મી, અદાકાર, દિગ્‍દર્શક, સંચાલક શ્રી વિરલ રાચ્‍છનો આજે જન્‍મદિવસ છે.
વ્‍યવસાયે તેઓ જામનગરના એક ખ્‍યાતનામ વકીલ છે. નામની જેમ જ વિરલ વ્‍યકિતત્‍વ ધરાવતા વિરલભાઇ મળતાવડા અને માયાળુ માનવી છે. ‘ગુજરાત્રી'ના દરેક કાર્યક્રમને નોખો અનોખો બનાવવા માટે આઇડીયાથી લઇને એકસકયુશન સુધી ખુબ જ મહેનત થાય છે. જેમાં વિરલભાઇની અત્‍યંત મહત્‍વની ભૂમિકા હોય છે. એક સ્‍ટ્રીક ડીરેકટરથી લઇને એક લાઇવલી એન્‍કર સુધીના રોલ એ બખુબી નિભાવી જાણે છે. વિરલભાઇને કલાક્ષેત્રના અનેક પારીતોષીકોથી નવાજવામાં આવ્‍યા છે.
કવિ મિલિન્‍દ ગઢવી સાથે એમણે કરેલી ‘બૈતબાજી' તો હવે વિશ્‍વમાં વસતા ગુજરાતીઓનો પ્રેમ પામી છે. ઓન સ્‍ટેજ કમાલ હોય કે ઓનલાઇન ધમાલ, વિરલભાઇ હંમેશા એકસરખા એન્‍થુસીએઝમ સાથે જોવા મળે છે. કમીટમેન્‍ટ અને ક્રિએટીવીટીને વરેલા એવા આ વિરલ શખ્‍સને આજે એમના જન્‍મદિવસે અમે અકિલા-ગુજરાત્રી પરિવાર તરફથી અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. (મો.૯૪૨૬૦  ૨૭૯૯૭)

 

(10:18 am IST)