Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ભાવનગરમાં કુંભારવાડા રોડ પર ફટાકડાના સ્ટોલમાં આગ લાગી :અફરાતફરીનો માહોલ

કુંભારવાડાથી અક્ષરપાર્ક રોડ ઉપર ફટાકડા સ્ટોલમાં આગ લાગતા નાશભાગ

ભાવનગરમાં કુંભારવાડા રોડ પર ફટાકડાના સ્ટોલમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. શહેરના કુંભારવાડાથી અક્ષરપાર્ક રોડ ઉપર ફટાકડા સ્ટોલમાં આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જોતજોતામાં સ્ટોલમાં રહેલા બધા જ ફટાકડા ફૂટવા લાગ્યા હતા અને સથાનિક લોકોમાં પણ થોડી વાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થયાના સમાચાર નથી. પ્રાપ્ત થતી માહિતી મૂજબ આ સ્ટોલ નરેશભાઈ નામના કોઈ વ્યક્તિનો હતો.

(12:16 am IST)