Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વડીયામાં કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી

વડીયા : ગુજરાત ના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નુ ૯૨ વર્ષની વયે નિધન થતા વડિયામાં ગામ સમસ્ત તમામ સમાજના લોકોસાથે મળી ને કૃષ્ણપરા સ્થિત આવેલી પટેલ સમાજ ની વાડીમાં શ્રદ્ઘાંજલિ નો કાર્યક્રમ રખાયો હતો. તેમાં વડિયા સ્વામિનારાયણ મંદિર ના સંતો, સરપંચ છગનભાઇ, પૂર્વ સરપંચ વિપુલ રાંક, દિલીપભાઈ શીંગાળા, અશ્વિનભાઈ મહેતા, રમેશભાઈ હુંબલ, જાવેદભાઈ બાલપરીયા તથા વિવિધ સમાજ ના વડિયા ગામના આગેવાનો અને મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા. કોરોના કાળ માં માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટન્સ સાથે આ દિવ્ય આત્માં ને શાંતિ આપવા પુષ્પાજંલી આપ્યા બાદ સ્વામીનારાયણ મંદિર ના સંતો દ્વારા રામધૂન બોલાવી ને આગેવાનો એ કેશુભાઈ ના સંસ્મરણો અને કાર્યો વાગોળ્યા હતા. કોરોના ગાઈડ લાઈન ના પાલન સાથે સમગ્ર કાર્યક્રમ રાત્રી ના સમયે યોજાયો હતો અને લોકો એ શ્રદ્ઘાંજલિ પાઠવી હતી. (તસ્વીર - અહેવાલ : ભીખુભાઇ વોરા, વડીયા)

(11:34 am IST)