Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ચુડામાં વ્યાજખોરોની ધાકધમકીથી ત્રાસી જઈને પતિ-પત્નીએ ઝેર પીને કર્યો આપઘાતનો પ્રયાસ

સુરેન્દ્રનગર :રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી માણસો આપઘાત કરવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં બની છે  વ્યાજખોરોની ધાકધમકીથી દંપતીએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, દંપતીને સમયસર લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યારબાદ ગંભીર હાલતમાં બંનેને સુરેન્દ્રનગરમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે.

(9:22 pm IST)