Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ભરૂચમાં જૈન સમાજ દ્વારા અહિંસક મૌનરેલી : કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

રેલી શક્તિનાથ જૈન દેરાસરથી પંડિત ઓમકારનાથ હોલ થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી

ભરૂચ :શહેરનાં ઝાડેશ્વર રોડ ઉપર આવેલી સંતકૃપા સોસાયટી સ્થિત જૈન દેરાસરમાં ગત તારીખ 27-28 ઓક્ટોબરનાં રોજ ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેવામાં સોસાયટીનાં રહિશો દ્વારા જૈન સાધ્વી ઉપર હુમલો કરવાનાં બનાવમાં યોગ્ય ન્યાય મળે તે હેતુ સાથે જૈન મહાસંઘનાં નેતૃત્વમાં અહિંસક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

   રેલી શક્તિનાથ જૈન દેરાસરથી પંડિત ઓમકારનાથ હોલ થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. બાદમાં જિલ્લા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી. રેલીમાં ભરૂચ સમસ્ત જૈન સમાજ તથી જૈન સોશિયલ ગૃપનાં સભ્યો જોડાયા હતા.

(2:21 pm IST)