Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જામનગરના સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્‍સવની તૈયારીઓને આખરી ઓપ આપતી મુખ્‍ય સમિતિ

દશેરાના દિવસે સર્વજ્ઞાતિય ૧૦૮ સમૂહ લગ્નોત્‍સવના આયોજક શ્રી એચ.જે.લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ સાથે જોડાયેલા મુખ્‍ય સમિતિના સદસ્‍યોની મળી અગત્‍યની બેઠક

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૩: જામનગરના આંગણે વિજયદશમીના શુભ દિને યોજાયેલા હાલાર સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્‍સવના આયોજનને આ માટેની મુખ્‍ય સમિતિના સભ્‍યોએ આખરી ઓપ આપી તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતું.

શહેરની શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપક્રમે દશેરા તા.૦પ-૧૦-ર૦રરના બુધવારે ઓશવાળ સેન્‍ટર ખાતે ઉભા કરાયેલા માતુશ્રી મંજુલાબેન લાલ લગ્નોત્‍સવ ધામ ખાતે યોજાયેલા સર્વજ્ઞાતિય ૧૦૮ સમુહ લગ્ન માટેની મુખ્‍ય સમિતિની બેઠક લગ્ન સમારોહ સ્‍થળ ખાતે તૈયારીઓને આખરીઓપ આપવા માટે હતી.

આ બેઠકમાં આયોજક સંસ્‍થા શ્રી એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી અશોકભાઈ લાલે સૌને આવકાર્યા હતા. સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી જીતુભાઈ લાલે આ બેઠકમાં ઉપસ્‍થિત મુખ્‍યસમિતિના સૌ સભ્‍યો પાસેથી સલાહ-સુચનો મેળવીને સમગ્ર આયોજનની વિસ્‍તૃત રૂપરેખા આપી હતી. અને જુદી-જુદી સમિતિઓની કામગીરીની વિગતો આપી હતી.

આ બેઠકમાં ઉપસ્‍થિત મુખ્‍ય સમિતિના સૌ સભ્‍યોએ આયોજન તથા સમગ્ર સમારોહ અંગેની વિગતો પર ચર્ચા કરી વધુ સારી વ્‍યવસ્‍થા માટે તમામ રીતે સક્રિય યોગદાન મળી રહેશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો હતો.

શહેરમાં આ પ્રકારના અભિનવ આયોજન માટેની મુખ્‍ય સમિતિના સર્વશ્રી કિરીટભાઈ મહેતા, પ્રવિણભાઈ ચોટાઈ, અરજણભાઈ સોજીત્રા, મનિષભાઈ કટારીયા, નરેન્‍દ્રભાઈ સી. ત્રિવેદી, પ્રવિણસિંહ જાડેજા (નિવૃત તાલુકા વિકાસ અધિકારી), હરદાસભાઈ ભારાઈ, નાથાભાઈ કપુરીયા, નવલસિંહ જાડેજા, એડવોકેટ વી.એચ.કનારા, પ્રવિણસિંહ ઝાલા, ધીરૂભાઈ કારીયા, લખધીરસિંહ જાડેજા, પ્રમોદભાઈ કોઠારી, માવજીભાઈ નકુમ, પરેશભાઈ જાની, વિજયભાઈ શેઠ, ગિરીશભાઈ બુઘ્‍ધદેવ, આર.પી.ધાડીયા, નટુભાઈ કણઝારીયા, વૃજલાલભાઈ પાઠક, સુરેશભાઈ તન્‍ના, મનોજભાઈ ચુડાસમા, શીવસાગરભાઈ શર્મા, વકિલ નાથાભાઈ વી. ગોહીલ, વિપુલભાઈ કોટક, પ્રફુલભાઈ વાસુ, ચેતનભાઈ માધવાણી, ધનશ્‍યામભાઈ ગંગવાણી, દિનેશભાઈ મારફતીયા, નિરજભાઈ દત્તાણી, રમીલાબેન કણઝારીયા, ભીખુભાઈ મોરઝરીયા, દેવેનભાઈ જોશી, મુકેશભાઈ રાડીયા, જગુભાઈ દત્તાણી, ચંદ્રેશભાઈ કામદાર તેમજ જામનગર જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિના સદસ્‍યો રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, ભરતભાઈ કાનાબાર, વકિલ રાજુભાઈ કોટેચા, અનીલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, રાજુભાઈ મારફતીયા, મનિષભાઈ તન્‍ના, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

(2:07 pm IST)