Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

પોરબંદરમાં મુખ્યમંત્રીએ ખારવા જ્ઞાતિના પીઢ અગ્રણી કરશનભાઇના ઘરે જઇને ખબર અંતર પુછયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩ : ગાંધી જયંતીએ પોરબંદર પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કીર્તિમંદિરે સર્વધર્મ પ્રાર્થનાસભા સહિત કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેઓ ખારવા જ્ઞાતિના પીઢ અગ્રણી કરશનભાઇ જુંગીના ઘેર જઇને કરશનભાઇના ખબર અંતર પુછયાં હતાં.

પૂજય બાપુની જન્મજયંતિ નિમિતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પોરબંદર ખાતે પધાર્યા હતાં. જયાં કીર્તિમંદિર ખાતે સર્વધર્મ સભામાં હાજરી આપી હતી.

ત્યારબાદ તેમને પોરબંદરની જનતા માટે સિટી બસ સેવાને લીલીઝંડી આપી હતી. ત્યાર પછી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ એરપોર્ટ પરત ફરતી વખતે પોરબંદરના પીઢ અગ્રણી  શ્રી કરશનભાઇ જુંગીના નિવાસસ્થાને જઇને ખંબર અંતર પૂછયા હતા.

(1:49 pm IST)