Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

જૂનાગઢ ગિરનાર પર બિરાજમાન મા અંબાના સાનિધ્‍યથી વર્ચ્‍યુઅલી અમદાવાદની મહાઆરતીમાં મહાનુભાવો જોડાયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૧ : ભારતના યશસ્‍વી વડા પ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદી અમદાવાદ ખાતેના જીએમડીસી મેદાનમાં આયોજિત વાઇબ્રન્‍ટ નવરાત્રી મહોત્‍સવ સહભાગી થતા માં અંબાની મહાઆરતીમાં જોડાયા હતા. આ સાથે રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ પણ આ મહાઆરતીમાં જોડાયા હતા.   અમદાવાદ ખાતેની આ મહાઆરતીમા ગરવા ગિરનાર પર બિરાજમાન માં અંબાના સાનિધ્‍યેથી ગિરનાર તળેટી(ઉડન ખટોલા સ્‍ટેશન) ખાતેથી વર્ચ્‍યુઅલી સાધુ-સંતો, સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવોએ આ મહાઆરતીમાં ભાગ લીધો હતો અને મા અંબાને મા અંબાની ભાવપૂર્વક વંદના કરી હતી.   રાજ્‍યના અન્‍ય શક્‍તિસ્‍થાનોથી પણ અમદાવાદ ખાતેની મહા આરતીમાં વર્ચ્‍યુઅલી જોડાયા હતા.

 આ  પ્રસંગે ડેપ્‍યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન   હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ  પ્રમુખ  પુનિતભાઈ શર્મા, નગરસેવક એભાભાઈ કટારા, આરતીબેન જોશી, અગ્રણી   મોહનભાઈ પરમાર, નિવાસી અધિક કલેકટર  એલ. બી. બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક પી.જી.પટેલ,  પ્રાંત અધિકારી  ભૂમિબેન કેશવાલા સહિતના પદાધિકારી અધિકારી અને ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:45 pm IST)