Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

અલ્‍પ સંખ્‍યક અને નાણાં વિકાસ નિગમમાં રાજકોટ જીલ્લામાંથી સભ્‍ય તરીકે નિમણુંક કરવા રજુઆત

રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગે કરી રજુઆત

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૩: ગુજરાત ભાજપ સરકારની લઘુમતી મુસ્‍લીમ અલ્‍પ સંખ્‍યક અને નાણા વિકાસ નિગમમાં રાજકોટ જીલ્લા માંથી સભ્‍ય તરીકે યુનુસભાઈ સેરસિયા (સણોસરા)ની નિમણુંક કરવા રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલને એક પત્ર પાઠવી રજુઆત કરી માંગણી કરેલ છે.

આ અંગે જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગે જણાવેલ કે રાજકોટ જીલ્લામાં જસદણ-આટકોટ-સરધાર-ગોંડલ-જેતપુર-વીરપુર-ધોરાજી-ઉપલેટા-ભાયાવદર-કોટડા સાગણી-સણોસરા-સહિતના વિસ્‍તારોમાં મુસ્‍લીમોની સંખ્‍યા વધારે છે. રાજકોટ જીલ્લા માંથી આ ગુજરાત સરકારની અલ્‍પ સંખ્‍યક અને નાણાં વિકાસ નિગમ ગાંધીનગરમાં મુસ્‍લીમ સમાજ માંથી પ્રતિનિધિ તરીકે મુસ્‍લીમ સમાજના પીઢ આગેવાન યુનુસભાઈ સેરસિયા (સણોસરા)ની નિમણુંક થવી જોઈએ

વધુમાં જણાવેલકે ગુજરાત સરકારની અલ્‍પ સંખ્‍યક નાણાં અને વિકાસ નિગમમાં સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલ માં હોય છે આ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહે તે માટે અને લોકોને લાભ મળે જેથી રાજકોટ જીલ્લા માંથી આવતા મુસ્‍લીમ સમાજના મતો ભાજપ તરફી વધુને વધુ અંકે કરી શકાય માટે રાજકોટ જીલ્લા માંથી પ્રતિનિધિ તરીકે આ નિગમમાં નિમણુંક કરવી જોઈએ

ત્‍યારે આ અલ્‍પ સંખ્‍યક અને નાણાં વિકાસ નિગમમાં રાજકોટ જીલ્લા માંથી નિમણુંક કરવા જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગે રજુવાત કરી માંગણી કરેલ છે.

(12:39 pm IST)