Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

હળવદમાં પૂ. ગાંધી જયંતિ નિમિતે બાળકોને વસ્ત્રદાન કરાયું

હળવદ ,તા.૩: રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તથા ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર ના સંયુકત ઉપક્રમે ગાંધીજયંતી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી નિમિત્ત્।ે હળવદના નાડીયા વાસ વિસ્તારમાં અને તળાવ કાંઠે આવેલ ઝુપડપટ્ટી વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો ને કુલ ૨૨૨ વસ્ત્રો નું દાન સ્થળ પર જ કરવામાં આવ્યું હતું

ગુણવત્ત્।ા સભર બ્રાન્ડ ન્યુ ગારમેન્ટ ના રેડીમેન્ટ કપડાં નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કેટેગરી જેમકે ૧ થી ૫ વર્ષ સુધી ના બાળકો ૧૨ વરસ ના બાળકો ૧૮ થી ૨૨ વર્ષ ના તરૂણ અને ૫૦ વર્ષ થી ઉપર ના વડીલો એમ અલગ અલગ કેટેગરીના સર્વે લોકો ને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું આમ આવનારા તહેવારો પહેલા રેડીમેન્ટ કપડાંનું વિતરણ થતા નાના ભૂલકાઓ અને લાભાર્થી ભાઈઓ બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

આ કાર્યક્રમ માં ભારત સેવક સમાજના શિરીશભાઇ ઓઝા , ખેતશીભાઈ પટેલ , બદ્રીભાઈ , સુનિલભાઈ મહેતા હળવદ ના સ્થાનિક સામાજિક કાર્યકર તપન દવે , ગીરીશભાઈ સાધુ , અનિલ.ટી.રાવલ , હીરાભાઈ નાળિયા , શ્રવણભાઈ સોલંકી , મંગાભાઈ સહિત સેવાભાવી કાર્યકરો એ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

(11:58 am IST)