Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગવરીદળમાં ચોટીલાના ખેરાણાના ભરતભાઇ કોળીનું બેભાન થતાં મોત

રાજકોટ તા. ૩: ચોટીલાના ખેરાણા ગામે રહેતાં ભરતભાઇ વિઠ્ઠલભાઇ નાગાણી (ઉ.૩૨) નામના કોળી યુવાન હાલ ગવરીદળ વિજયભાઇ પટેલની વાડી વાવતા હોઇ સાંજે છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે ગવરીદળ લઇ જવાયા બાદ વાડીએ પહોંચ્યા પછી ફરીથી તબિતય બગડતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ, પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. કે. સી. સોઢાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ ભાઇમાં બીજા હતાં અને સંતાનમાં બે પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં શોક છવાઇ ગયો છે.

(11:54 am IST)