Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જસદણમાં કારે બાઇકને ઉલાળતા ચોટીલાના ધારેઇ ગામના મુન્નાભાઇ બાવળીયાનું મોત

જસદણ, તા., ૩: જસદણથી ચાર કિલોમીટર દુર આવેલ વિંછીયા રોડ પર કાર ચાલકે બાઇક સવારને વહેલી સવારે ફંગોળતા ઘટના સ્થળે બાઇકસ્વાર આશાસ્પદ યુવાનનું મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના ધારેઇ ગામે રહેતો મુન્નાભાઇ રમેશભાઇ બાવળીયા આજે વહેલી સવારે પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે પાછળથી આવેલ કોઇ કારે તેમને ફંગોળતા આ બાઇક ચાલક ૧૦૦ મીટરથી વધુ દુર ફંગોળાઇ જતા જસદણ વિંછીયા હાઇવે પરથી કોઇએ ૧૦૮ને જાણ કરતા ડો. તુષારભાઇ પરમાર અને પાઇલોટ પંકજભાઇ પરમારએ વાડમાંથી મુન્નાભાઇને બહાર કાઢી શહેરની સિવિલમાં ખસેડયો હતો. જો કે ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. આ અંગે જસદણ પોલીસે કાગળ કરી ચોટીલા પોલીસને જાણ કરી છે.

(11:33 am IST)