Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

હળવદ તાલુકામાં ભારે વરસાદથી વ્યાપક નુકશાન: પૂર્વ મંત્રી કવાડિયાની મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત

કપાસ, મગફળી,તલ અને અળદ એજવા ચોમાસું પાકોને ભરપુર નુકશાન

 

હળવદ તાલુકામાંભારે વરસાદમાં ગ્રામ્ય પંથકમાં ખેતી અને પશુધનને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોચ્યું હતું જે મામલે રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાએ મુખ્યમંત્રીને યોગ્ય ન્યાય આપવા રજૂઆત કરી છે.

 પૂર્વ  મંત્રી જયંતીભાઈ કવાડિયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે ચોમાસું પાકમાં મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો દ્વારા વાવેતર કરેલ કપાસ, મગફળી,તલ અને અળદ એજવા ચોમાસું પાકોને ભરપુર નુકશાન થવા પામેલ હોય ત્યારે ગત તા. ના રોજ હળવદ તાલુકાના કડિયાણા, પાંડાતીરથ, રાયધ્રા, રણછોડગઢ, સુંદરગઢ અને ચરાડવા જેવા ગામોમાં કલાકમાં આશરે ૧૦ થી ૧૨ ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે ધણા પશુધન મૃત્યુ પામ્યા છે જે ખરેખર ચિતાનો વિષય છે ત્યારે પાકને પશુધનનું થયેલ નુકશાન અંગે સંવેદનશીલ સરકાર દ્વારા સ્થાનિક સર્વે કરાવી યોગ્ય નિર્ણય કરવો ખુબ જરૂરી છે.

તેમજ અંતે ભલામણ કરતા જણાવ્યું હતું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમોને વારંવાર મળેલ રજુઆતો અન્યવે હળવદ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાનું સુખાકારી નિરાકરણ લાવી શકાય સબબ સત્વરે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને ભલામણ કરી છે.

(11:03 pm IST)