Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અમરેલીઃ ઓકસફર્ડ સ્કુલ દ્વારા ગાંધી જીવન પર સેમિનાર યોજાયો

અમરેલી તા. ૩ :.  યુવા પ્રવૃતિ સાથે સંકળાયેલ ડાયનેમિક ગ્રુપ ઓફ  ડાયનેમિક  પર્સનાલિટીઝ - અમરેલી તથા ઓકસફર્ડ સ્કુલ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે પૂ. ગાંધીજીના જીવન - કવન વિષય પર સેમિનારનું આયોજન જિલ્લા માહિતી નિયામક શ્રી ભરતભાઇ બસીયાના અધ્યક્ષ સ્થાને તથા ડાયનેમિક ગ્રુપના પ્રમુખ હરેશ બાવીસીના મુખ્ય વકતાપદે યોજાયો હતો.

સેમિનારના પ્રારંભે સ્વાગત ઓકસફર્ડ સ્કુલના સ્વપ્નદ્રષ્ટા તથા પ્રિ. મયુરભાઇ ગજેરાએ કર્યુ હતું. ઉદ્ઘાટક પદે લાયન્સ કલબ રોયલના પ્રમુખ વસંતભાઇ મોવલીયા તથા પટેલ સમાજના પ્રમુખ ડી. કે. રૈયાણી, તથા મુખ્ય મહેમાન તરીકે સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઇ ત્રિવેદી  તથા સમસ્ત આહીર સમાજના પ્રમુખશ્રી જીતુભાઇ ડેર નાગરીક બેંકના વઘાસીયા તથા ઉદ્યોગપતિ હીરેનભાઇ બાંભરોલીયા ઉપસ્થિત હતાં.

કાર્યક્રમમાં વસંતભાઇ મોવલીયા, ઉદયનભાઇ ત્રિવેદી, અધ્યક્ષ ભરતભાઇ બસીયાએ પ્રાસંગીક ઉદબોધન કરીને ગાંધીજીના જીવન-કવનને આપણા જીવનમાં સામેલ કરવા હાંકલ કરી હતી. વકતા પદેથી ડાયનેમિક ગ્રુપના પ્રમુખ હરેશ બાવીસીએ પૂ. મહાત્મા ગાંધીના જીવનનું વૈશ્વિક ફલક પર રહેલ  મહત્વ સમજાવ્યું હતું.

આભાર દર્શન નિલેષભાઇ ગજેરા તથા પ્રહલાદભાઇ વામજાએ કરાવીને વિદ્યાર્થીઓ પાસે સ્વચ્છતા મિશન અંતર્ગત સંકલ્પો લેવરાવ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા અદિતી જોષીએ કર્યુ હતું. (પ-૯)

(12:09 pm IST)