Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

બિલખામાં પૂ. ગોપાલાનંદબાપુનાં પાર્થિવદેહને શ્રધ્ધાસુમન અર્પતા પૂ.મોરારીબાપુ

જુનાગઢ : સાધુ સમાજના ભિષ્મ પિતામહ ગોપાલાનંદજી મહારાજનો ૧૧પ  વર્ષની વયે દેહ વિલય થતા તેમને સાધુ - સંતો દ્વારા શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. ગત રાત્રે બિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતે રાષ્ટ્રીય સંત પ્રખર રામાયણી, પૂ. મોરારીબાપુ આવી પહોંચ્યા હતા અને પૂ. ગોપાલાનંદબાપુના પાર્થિવદેહના દર્શન કરી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ ઉપરોકત તસ્વીરમાં પૂ. ગોપાલાનંદબાપુના પાર્થિવદેના દર્શન કરી પૂ. મુકતાનંદબાપુ સાથે ચર્ચા કરી શોકની લાગણી વ્યકત કરતા પૂ. મોરારીબાપુ સાથે પૂ. બાપુના સેવક જેન્તીભાઇ ચાંદ્રા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ) (પ-૧પ)

(11:55 am IST)