Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગુરૂવારે વાંકાનેરના ડો. ગીતા ચાવડાને રાજયપાલના હસ્તે શ્રેષ્ઠ આચાર્યાનો એવોર્ડ

વાંકાનેર, તા. ૩ : ગુજરાત સરકાર તરફથી દર વર્ષે ડો. રાધાકૃષ્ણનના જન્મદિન પમી સપ્ટેમ્બરે ગુજરાત રાજયના શ્રેષ્ઠ શિક્ષકો-આચાર્યોનું સન્માન રાજયપાલશ્રીના વરદ હસ્તે ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે.

પ્રવર્તમાન ર૦૧૯ના વર્ષમાં ગુજરાત સરકારે વિવિધ કેડરોમાં કુલ ૩૬ જેટલા શ્રેષ્ઠ શિક્ષક આચાર્ય પસંદ કરેલ છે, જે પૈકી વાંકાનેર મ્યુ. સંચાલિત મો.હે.જે. સંઘવી સ્મા. મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યા ડો. ગીતાબેન જી. ચાવડાની શ્રેષ્ઠ આચાર્યા તરીકે પસંદગી થતા તેઓશ્રીનું પણ આગામી પમી સપ્ટેમ્બરે રાજયના રાજયપાલશ્રીના વરદ હસ્તે શાલ ઓઢાડી, રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી ગૌરવપૂર્ણ સન્માન થવા જઇ રહ્યાં છે. ત્યારે વાંકાનેર પાલિકાના પૂર્વ અધ્યક્ષશ્રી, વર્તમાન અધ્યક્ષશ્રી, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, તમામ સદસ્યશ્રીઓ, તેમજ શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીનીઓ અને અન્ય તમામ શુભેચ્છકોએ આનંદની લાગણી સાથે શ્રેષ્ઠ આચાર્યા ડો. ગીતાબેન જી. ચાવડાને શુભેચ્છાઓ પાઠવી છે.

(11:37 am IST)