Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મેંદરડાના દાત્રાણાના વૃધ્ધનું ઝેરી દવા પીવાથી મૃત્યુ પેટના દુઃખાવાથી કેશોદના યુવાવનો આપઘાત

જુનાગઢ તા.૩: મેંદરડા નજીકના દાત્રાણાના ચીમનભાઇ રતિભાઇ મેઘનાથી (ઉ.વ.૬૦) નામના વૃધ્ધનુ કોઇ કારણસર ઝેરી દવા પીવાથી મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જયારે મેંદરડાના સાત વડલા વિસ્તારમાં રહેતી કિરણબેન હામાભાઇ જાદવ (ઉ.વ.૧૮)નુ એસિડ પી લેવાથી મોત થયુ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતું.

કેશોદના મેસવાણ ગામે રહેતા વિજય હાજાભાઇ વાઢીયા (ઉ.વ.૨૧)એ પેટના દુઃખાવાથી કંટાળી ઝેરી ટીકડા ખાયને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

(11:37 am IST)