Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

જામનગરમાં પ્રેમી પંખીડા ના આપઘાતઃ પરિવારજનોએ લગ્નની ના પાડતા ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

જામનગરઃ એસ.ટી.બસ સ્ટેન્ડ સામે ના કૈલાસ નગરમાં યુવતી ના ઘરે ગળાફાંસો ખાઈ બન્ને પ્રેમી પંખીડાએ આપઘાત કરવાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં રહેતા જયરાજસિંહ જાડેજા ઉં.વર્ષ 21 અને ઉદીતા મહેતા ઉ.વર્ષ 19 બન્નેવને પ્રેમ હોય બંન્નેવે પોતાના પરિવારને લગ્ન કરાવી આપવા મનાવવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ બન્નેવના પરિવાર માંથી લગ્નની ના પાડતા આ પ્રેમી પંખીડાએ આત્મહત્યાનું આઘાતજનક પગલું ભરતા બન્નેવના કરૂણ મોત નિપજ્યા હતા.

ઘટના સમયે પ્રેમિકા ઉદીતાના પિતા કે જે કુરિયર સર્વિસ માં નોકરી કરે છે તેઓ કામથી મુંબઇ ગયા હોય હતા ,પુત્રી એ પ્રેમી સાથે મળીને આપઘાતનું પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હાલ તો, પોલિસે બન્નેની લાશ કબ્જે લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, તહેવારના સમયે યુવક યુવતીના સજોડે આપઘાત થી કૈલાસનગરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

(9:50 am IST)