Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સુરેન્દ્રનગરના લખતરના વિઠ્ઠલગઢ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૧નું મોત

પરિવારના ૪ને ઇજા, બાળકનો આબાદ બચાવ : કડી ખાતે રહેતો રબારી પરિવાર ચોટીલા દર્શન કરવા જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત નડયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩ : લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. કડી ખાતે રહેતો રબારી પરીવાર ચોટીલા દર્શન કરી પરત ફરી રહયો હતો ત્યારે વિઠ્ઠલગઢ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ મહિલા અને એક પુરૂષ સહીત ચાર લોકોને ઈજાઓ થઈ હતી.

ઈજાગ્રસ્તોમાં કાળીબેન અમૃતભાઈ દેસાઈ, હેતલબેન જીગરભાઈ દેસાઈ, આર્યન જીગરભાઈ દેસાઈ, અને જીગરભાઈ અમૃતભાઈ દેસાઈનો સમાવેશ થાય છે. જયારે ૮૦ વર્ષના ગંગાબેન લાલજીભાઈ દેસાઈ નામના વૃધ્ધાનું મોત નિપજેલ છે.

એક બાળકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. લખતર પોલીસેે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડી ટ્રાફિકજામ કલીયર કરાવ્યો હતો.

(11:52 am IST)