Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મોરબીના ધરમપુર નજીક મચ્છુ ડેમમાં માછીમારી કરવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

માછીમારી માટે ઉપયોગમાં લેવાયેલ ટ્યુબ પાણીમાં પલટી મારી જતા ડૂબી જવાથી મોત

મોરબીના ધરમપુર નજીક મચ્છુ ડેમમાં માછીમારી કરવા માટે ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું મૃતક યુવાનના ભાઈએ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી માટે પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

  આ અંગે મળતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે ધરમપુર વિસ્તારમાં સાહિલ હોટલની પાછળ મચ્છુ ડેમમાં માછીમારી કરવા માટે મનસુખભાઈ અવચરભાઈ ઝિંઝુવાડીયા (૪૫)(રહે , જુના ધરમપુર રામદેવપીર મંદિર નજીક)ગયા હતા ત્યારે આ યુવાન જે ટ્યુબમાં બેસીને માછી મારી કરતો હતો તે ટ્યુબ પાણીમાં પલટી મારી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાથી મનસુખભાઈ અવચર ભાઈ ઝિંઝુવાડીયા નું મોત નીપજયું હતું આ અંગેની તેના ભાઈ દિનેશભાઇ અવચર ભાઈ ઝિંઝુવાડીયા એ પોલીસને જાણ કરી હતી મોરબી તાલુકા પોલી સે બનાવની નોંધ કરીને આગળની તપાસ બીટ જમાદાર એમ.એલ. બારીયા કરી રહ્યા છે

(11:39 am IST)