Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વિવાદોથી ઘેરાયા બાદ કચ્‍છ ભાજપના મહામંત્રી શૈલેન્‍દ્રસિંહ જાડેજાનું રાજીનામું

ભુજ તા. ૩ : છેલ્લા ઘણા દિવસોથી વિવાદોથી સતત ઘેરાયેલા કચ્‍છ ભાજપના મહામંત્રી શૈલેન્‍દ્રસિંહ જાડેજાએ રાજીનામું આપ્‍યું છે.

કચ્‍છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે રાજીનામાની વાતને સમર્થન આપ્‍યું છે. જોકે, તે હજી ભાજપના પ્રાથમિક સભ્‍યપદે ચાલુ છે. પોતાની હરકતોને કારણે ભાજપની પ્રતિષ્ઠાને બટ્ટો લગાડ્‍યા બાદ શૈલેન્‍દ્રસિંહ જાડેજાની પક્ષ દ્વારા હકાલપટ્ટી કરાશે કે નહીં તે અંગે સતત ચર્ચાઓ હતી.

(11:12 am IST)