Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વિરપુર જલારામ મંદિર અને ખોડલધામના દર્શને કુંવરજીભાઇ

 રાજકોટઃ પાણી પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ  સુપ્રસિદ્ઘ વીરપુર જલારામ ધામમાં જલારામ મંદિર તેમજ ખોડલધામ કાગવડ ખાતે માં ખોડલના દર્શનનો લાભ લીધો હતો. અને ખોડલ ધામ ટ્રસ્ટ પ્રમુખશ્રી નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ હોદેદારોની મુલાકાત લીધી હતી. વીરપુર ખાતે જલારામ બાપાના પરિવારના મોભી શ્રી રઘુરામ બાપાની તેમજ સ્થાનિક આગેવાનોની શુભેચ્છા મુલાકાત લીધી હતી  દર્શન કરીને મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આજે હું જલારામ બાપા ના અને માં ભગવતી ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવું છું .  આ પ્રસંગે ખોડલધામ મંદિર પરિસરમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાને શ્રી નરેશભાઈ પટેલે મા ખોડલની પ્રસાદી રૂપે ખેસ અને મા ખોડલનું ચિત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ખોડલ ધામ ટ્રસ્ટી મંડળના હોદેદારો અને અગ્રણી શ્રી જશુબેન કોરાટ, શ્રી ગોરધનભાઈ ધામેલિયા, શ્રી પ્રશાંતભાઈ કોરાટ, શ્રી વેલજીભાઈ, શ્રી જનકભાઇ ડોબરીયા, શ્રી મયુરભાઈ બારસિયા, શ્રી રાજુભાઇ બારૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:27 am IST)