Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સુરેન્દ્રનગરના રણજીત સોલંકીનું રાજકોટમાં ટ્રેન હેઠળ કપાઇ જતાં મોત

દેવીપૂજક યુવાન કેટલાક દિવસથી રૂખડીયાપરામાં સસરાના ઘરે આવ્યો હતો

રાજકોટ તા. ૩: રૂખડીયાપરા ફાટક પાસે ગઇકાલે સાંજે મુળ સુરેન્દ્રનગરનો દેવીપૂજક યુવાન ટ્રેનની ઠોકરે કપાઇ જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

સાંજે પાંચ સવાપાંચ આસપાસ રૂખડીયાપરા ફાટક પાસે એક યુવાન ટ્રેન હેઠળ કપાઇ ગયાની અને મોતને ભેટ્યાની જાણ થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. જેમાં બકાલાના ધંધાર્થીઓએ મૃતક યુવાન સુરેન્દ્રનગરનો રણજીત પેથાભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૨૫) હોવાનું ઓળખી બતાવી તે રૂખડીયાપરામાં તેના સસરાના ઘરે આવ્યો હોવાનું જણાવતાં રેલ્વે પોલીસ મથકના એએસઆઇ મનસુખભાઇ ઝીંઝરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ રણજીત સુરેન્દ્રનગરમાં છુટક મજૂરી કરતો હતો. કેટલાક દિવસથી રાજકોટ રૂખડીયામાં સસરાને ત્યાં આવ્યો હતો. તેણે આપઘાત કર્યો કે અકસ્માતે ઠોકરે ચડી ગયો? તે અંગે તપાસ થઇ રહી છે.

(11:27 am IST)