Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

જોડિયામાં સંત શ્રી ભોલેબાબાજીની પુણ્‍યતિથિ નિમિત્તે કાલે ભવ્‍ય સંતવાણી : સોમવારે ભંડારો

વાંકાનેર,તા. ૩ : જોડિયા ખાતે શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડી' ખાતે પુ, સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની (૩૭મી પુણ્‍યતિથિ) નિમિતે આવતીકાલે તા, ૪ ના રવિવારના રોજ રાત્રે ૯:૪૫ કલાકે ભવ્‍ય સંતવાણી - ભજનનો ભવ્‍ય કાર્યક્રમ રાખેલ છે જેમાં ગુજરાત, સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારઃ ગોપાલ સાધુ (ભજનિક) શ્રી મુનાબાપુ નિમાવત (હાસ્‍ય કલાકાર) તથા તેમની ટીમ અનેરા સંગીતની શેલી સાથે રાત્રી ભર સંતવાણી, ભજનોની રંગત જમાવશે આ ઉપરાંત આવતીકાલે સાંજે ૪ વાગ્‍યાંથી સંગીતમય સુંદરકાંડના પાઠ રાખેલ છે આ ઉપરાંત તા, ૫ મીના સોમવારના રોજ સંતશ્રી ભોલેબાબાજીની પુણ્‍યતિથિ નિમિતે બપોરે ૧૨ કલાકે બાબાજીના મંદિરમાં ઢોલ, નગારા ઝાલરો સાથે મહાઆરતી થશે તેમજ બપોરે ૧૨:૧૫ કલાકે સાધુ, સંતો તથા ભક્‍તજનોનો ભવ્‍ય ભંડારો (મહાપ્રસાદ) રાખેલ છે તેમજ સાંજે ૫ થી ૮ વાગ્‍યાં સુધી જોડિયા સમસ્‍ત હિન્‍દુ સમાજનો ધુવાણાબંધ જમણવાર (મહાપ્રસાદ) રાખેલ છે આ દિવ્‍ય પાવન પર્વે અનેક જગ્‍યાએથી સંતો, મહંતો પધારશે તેમજ રામવાડીમાં વિશાળ સમીયાળો ઉભો કરવામાં આવેલ છે બંને મંદિરને લાઈટ ડેકરોશનથી શુભોષીત કરવામાં આવેલ છે નિજ મંદિરમાં પુષ્‍પોના શણગાર દર્શન થશે આ દિવ્‍ય મહોત્‍સવને સફળ બનાવવા સમસ્‍ત જોડિયાગામ જહેમત ઉઠાવી રહેલ છે રામવાડી ગ્રુપના યુવાનોમાં અનેરો ઉત્‍સાહ ઉમંગ જોવા મળી રહેલ છે આ મહોત્‍સવ પ્રંસગે વિશાળ ભક્‍ત સમુદાય પધારશે આ દિવ્‍ય પાવન પુણ્‍યશાળી અવસરે સર્વે ભાવિકોને પધારવા જોડિયા સમસ્‍ત ગામ ભોલેબાબાજીના ભક્‍તજનો દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જે યાદી રામવાડીના અનન્‍ય ભક્‍તજન શનિભાઈ વડેરાએ જણાવેલ છે વધુ વિગત માટે હર્ષદ વડેરા મો. ૯૪૨૮૨ ૦૮૨૨૩ ઉપર સંપર્ક કરવા હિતેશ રાચ્‍છની યાદીમાં જણાવાયું છે.

(12:32 pm IST)