Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

સાળંગપુર કષ્‍ટભંજનદેવ હનુમાનજીદાદાને ફુલોની પાંદડી-વાઘા-લાલ ફુલનો શ્રૃંગાર

વાંકાનેર,તા. ૩ : વડતાલધામ દ્રિશતાબદી મહોત્‍સવ એવં શતામૃત મહોત્‍સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પુ.શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના માર્ગદર્શનથી આજરોજ શનિવાર નિમિત્તે તા.૩/૬/૨૩ ના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રંગબેરંગી કલરના ફૂલોની પાંદડીના વાંધા તેમજ દાદાના સિંહાસનને લાલ ફૂલનો દિવ્‍ય શણગાર ધરાવવામાં આવેલ તેમજ સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી તથા સવારે ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્‍વામીશ્રી ડી.કે. સ્‍વામીજી દ્વારા કરવામાં આવેલ હતી સવારે બંને આરતીમાં હજારો ભાવિકોએ દર્શન, આરતીનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી સવારે આરતીમાં નિજ મંદિર તો ઠીક પુરા પરિસર ગ્રાઉન્‍ડમાં ભાવિકોએ સ્‍કિન ઉપર આરતીના દર્શન કર્યા હતા અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ કી જયના નારા સાથે ભકિતમય વાતાવરણ બની ગયેલ હતુ આરતી પહેલા સૌ ભાવિકોએ સામુહિકમાં હનુમાન ચાલીસા કરેલા હતા.

(12:29 pm IST)