Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સાવરકુંડલાના નાળ ગામની સીમમાં પ્રથમ વરસાદમાં વીજળીએ ૧૭ બકરાનો ભોગ લેતા અરેરાટી

સાવરકુંડલા તા.૩ : નાળ ગામે રહેતા માલધારી પાતાભાઇ ભગવાનભાઇ બામ્બા પોતાના બકરા ચરાવવા નાળ ગામે ડેમના કાંઠા ઉપર ગઇકાલે ગયેલા ત્યાં બપોર બાદ એકાએક તોફાની પવન અને વીજળીના કડાકા શરૂ થતા બકરાના ટોળા ઉપર વીજળી પડતા ૧૭ જેટલા બકરાના મોત થયા હતા.

જયારે એટલા જ બકરા ઘાયલ થયા હતા. બનાવની જાણ થતા સાવરકુંડલાથી મામલતદાર શ્રી પરમાર અને ટીડીઓ શ્રી રાજા તલાટી મંત્રી વગેરે નાળ ખાતે દોડી ગયા હતા. ચોમાસાની શરૂઆતનાં પહેલાં જ વરસાદમાં વીજળીએ ૧૭ બકરાનો ભોગ લીધો હતો અને માલધારી પરિવાર પર આભ તુટી પડયું હતુ.

(12:50 pm IST)