Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભારે પવનને કારણે સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાં ૨૪૬ થાંભલા પડી ગયાઃ ટીમો દોડાવાઈ

ત્રણ ગામડામાં અંધારપટઃ જેજીવાયના તમામ ફીડરો ચાલુ

રાજકોટ, તા. ૩ :. વાવાઝોડાની અસરને કારણે અને પ્રિ-મોન્સુન સિસ્ટમ દરમિયાન ભારે પવન ફુંકાતા જીઈબીને પણ લાખોની નુકશાની ગઈકાલે એક દિવસમાં ગયાનું જાણવા મળ્યુ હતું.

જીઈબીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે સૌરાષ્ટ્રના ૬ જીલ્લામાં કુલ ૨૪૬ થાંભલા જમીન દોસ્ત થઈ ગયા છે જે ઉભા કરવા ટીમો દોડવાઈ છે.

વિગતો મુજબ જૂનાગઢમાં ૫૨, જામનગર ૧૬, ભાવનગર ૪૮, બોટાદ ૪૧, અમરેલી ૮૩, સુરેન્દ્રનગર-જીલ્લામાં ૯ થાંભલા પડી ગયા છે. જ્યારે જૂનાગઢ-જામનગરના ૩ ગામોમાં અંધારપટ છે. જો કે જેજીવાયના તમામ ફીડરો ચાલુ હોવાનું આ સૂત્રોએ ઉમેર્યુ હતું.

(11:38 am IST)