Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

માટેલ ખોડીયાર માતાજી મંદિર ૮ મીથી દર્શન માટે ખુલશે

સરકારની ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે : ભોજનાલય તેમજ રાત્રી રોકાણ બંધ રહેશેઃ મહંત રણછોડદાસબાપુ

વાંકાનેર તા. ૩ :.. વાંકાનેર તાલુકાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ આઇશ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલ ધરા ખાતે આગામી તા. ૮ થી મંદિર ખુલ્લુ થવા જઇ રહ્યુ છે. દરેક દર્શને આવતા માતાજીના ભકતજનોએ સરકારશ્રી આદેશ પ્રમાણે સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે તેમજ (૧) માસ્ક અથવા રૂમાલ ફરજીયાત બાંધવા (ર) રાઉન્ડ સર્કલ પ્રમાણે લાઇનમાં રહેવુ (૩) દર્શન કરી બહાર નીકળી જવાનુ રહેશે હાલ પુરતી કોરાનાની મહામારી હોય 'ભોજનાલય' તેમજ રાત્રિ રોકાણ બંધ રહેશે (પ) માતાજીની જેઠ સુદ પુનમના દર્શન બંધ છે. (લાઇવ દર્શન થશે) દરેક ભકતજનો સુચના પ્રમાણે સાથ - સહકાર આપે એવી આઇશ્રી ખોડીયાર માતાજી માટેલ ધરાના મહંત શ્રી રણછોડદાસબાપુ દૂધરેજીયા તેમજ આઇશ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલ ધરાની યાદીમાં જણાવાયુ છે. વધુ વિગત માટે મો. સંપર્ક ૯૬૦૧૪ ર૩પપપ (રણુદાસબાપુ મહંતશ્રી)

(11:25 am IST)