Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરેન્દ્રનગરના રતનપર માં જંબુદીપ સોસાયટીમાં રહેતા દંપતી ને કોરોના પોઝીટીવ : જિલ્લા માં કુલ કોરોના ના ૪૨ કેસ

 વઢવાણ:::સુરેન્દ્રનગર જિલ્લાની રતનપર પોલીસ સ્ટેશન પાછળ આવેલ જંબુ દીપ સોસાયટી માં એકી સાથે બે કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને આ બંને પતિ પત્ની હોવાનું પણ બહાર આવ્યું છે.સુરેંદ્રનગર જિલ્લાના રતનપર ખાતે  જોરાવર નગર   પોલીસ સ્ટેશન પાછળ રહેતા  નીલમબેન સોહિલભાઈ ઉવ 28 અને 2 સોહિલભાઈ હબીબભાઈ ઉવ 32 વાળાઓના કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવેલ છે બનેનીની  ટ્રાવેલ  હિસ્ટ્રી અમદાવાદ ની છે.

ત્યારે હાલમાં જંબુ દીપ સોસાયટી ને કોર્ડન કરવામાં આવી છે અને સોસાયટીના રહેવાસીઓ ને બહાર નહીં નીકળવા દેવા માટે ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ કોરોનાવાયરસ ના કેસો સામે આવતા જિલ્લા માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૪૨ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં એક પ્રકારે ચિંતાનો વિષય ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આ કોરોના ની મહામારી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ના આર.એમ.ઓ ઘણી વખત ચર્ચામાં રહ્યા છે ત્યારે જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં મુખ્યત્વે કોરોનાવાયરસ ના લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે..

 

ત્યારે આ વિશેની માહિતી ગાંધી હોસ્પિટલ ના આરએમઓ ને પૂછવામાં આવતા અમો એ તમામ માહિતી સુરેન્દ્રનગર જિલ્લા માહિતી નિયામક ને આપવા માં આવી છે તમો મેળવી લેજો તેવો જવાબ આપવા માં આવે છે જેના કારણે પત્રકારોમાં રોષ વ્યાપ્યો છે.

(10:47 am IST)