Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

જૂનાગઢના દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહનું મોત

કરમદડી રાઉન્ડનાં પાણીયા વિસ્તારમાથી મૃતદેહ મળ્યો

જૂનાગઢનાં દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહનું મોત થયુ છે. કરમદડી રાઉન્ડનાં પાણીયા વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો છે અહીંથી 3થી 4 વર્ષનાં હુષ્ટ પુષ્ટ સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. આ સિંહનાં દેહ પર કોઇ જ ઇજા જોવા મળી નથી. અન તેનાં તમામ નખ પણ સલામત છે

   . મૃત સિંહનું પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જે બાદ તેની તપાસનાં નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ મૃતદેહથી વનવિભાગ પણ અચંબિત છે. આ એજ રેન્જ છે જ્યાં આ પહેલાં 28 સિંહ મર્યા હતાં. હાલમાં આ સિંહનાં મોતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પોસ્ટમોર્ટમ બાદ જ આ અંગે વધુ માહિતી મળી શકે તેમ છે.

(10:47 pm IST)