Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મોરબી આજે કોરોનાના વધુ ૯ કેસ, ફાયર વિભાગે ૯ મૃતકોની અંતિમિવિધી કરી

મોરબી જિલ્લામાં આજે ૯ નવા કેસ જાહેર કરાયા : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫,૩૬૯ કેસમાંથી ૪,૨૩૮ સાજા થયા : જ્યારે સરકારી આંકડા મુજબ વધુ ૧ દર્દીના મૃત્યુ સાથે કુલ ૩૪૦ના મોત, એકિટવ કેસ વધીને ૭૯૧

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૩: મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. જોકે આજે તંત્રએ વાસ્તવિક આંકડા નજીક કેસ દર્શાવવાનું શરૂ કર્યું હોય તેમ ૦૨ મેં, રવિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૧૪૧ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૯૦ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે.

જયારે આજે મોરબી જિલ્લામાં સરકારી તંત્રએ કુલ૧ કોવિડ ડેથ જાહેર કર્યા છે.

જયારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કુલ ૯ મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી      ૩૨

મોરબી ગ્રામ્ય      ૨૯

વાંકાનેર સીટી     ૦૨

વાંકાનેર ગ્રામ્ય    ૦૧

હળવદ સીટી      ૦૫

હળવદ ગ્રામ્ય     ૦૩

ટંકારા સીટી        ૦૦

ટંકારા ગ્રામ્ય       ૧૪

માળીયા સીટી     ૦૦

માળીયા ગ્રામ્ય    ૦૪

આજના જિલ્લાના ૯૦

 કુલ નવા કેસ

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં  ૨૮

વાંકાનેર તાલુકામાં ૦૫

હળવદ તાલુકામાં  ૧૧

ટંકારા તાલુકામાં     ૧૦

માળીયા તાલુકામાં      ૦૩

આજના જિલ્લાના ૫૭

કુલ ડિસ્ચાર્જ કેસ

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એકિટવ કેસ : ૭૯૧

કુલ ડિસ્ચાર્જ કેસ : ૪૨૩૮

મૃત્યુઆંક : ૭૯ (કોરોનાના કારણે) ૨૬૧ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ  : ૩૪૦

કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : ૫૩૬૯

અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : ૨૬૨૩૮૧

(1:04 pm IST)