Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પોરબંદર કોવિડ હોસ્પિટલ માટે અર્જુનભાઇ મોઢવાડિયા દ્વારા ૧પ નવા ઓકસીજન ફલો મીટર તથા એમ્બ્યુલન્સ સેવા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩ : કોવિડ હોસ્પિટલ માટે પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા દ્વારા ૧પ નવા ઓકસીજન ફલો મીટર ૪૦ નવા ઓકસીજન સિલિન્ડરો તથા કોરોના દર્દી સેવા રથ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે.

કોરોના દર્દીઓને મદદરૂપ થવા કોરોના દર્દી સેવા રથઁ વાન મુકી. જેમાં દદીઓ માટે ઓકિસજનની સાથે ઈમર્જન્સી સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. કોઈપણ કોરોના દર્દી મોબાઈલ નંબર ૭૮૬૧૮૨૦૮૦૬ પર સંપર્ક કરી કોરોના દર્દી સેવા રથનો લાભ મેળવી શકશે.

કોવિડ હોસ્પિટલ માટે ૧૫ નવા ઓકિસજન ફ્લો મિટરની વ્યવસ્થા કરી આપી છે. હોસ્પિટલમાં વધારાના ૧૫ ઓકિસજન બેડની વ્યવસ્થા કરી શકાશે, આ પહેલા પણ ૪૦ જેટલા ઓકિસજન ફ્લો મિટર ભુવનેશ્વર (ઓરીસ્સા)થી મંગાવીને હોસ્પિટલને આપતા વધારાના ૪૦ નવા ઓકિસજન બેડની વ્યવસ્થા કરી હતી. તેમજ દર્દીઓ માટે ૨૦ નવા ઓકિસજન સિલેન્ડરની પણ વ્યવસ્થા કરી આપી છે.

(1:02 pm IST)