Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ધ્રોલ-જામનગર હાઈવે ઉપર વાંકીયામાં જલારામ રણુજાધામમાં પૂ. શિવપુરીબાપુ સોળશી ભંડારો

સંતવાણી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમમાં ભાવિકોને ઉમટી પડવા જાહેર આમંત્રણ

રાજકોટ, તા. ૩ :. ધ્રોલ-જામનગર હાઈવે ઉપર વાંકીયા ગામમાં આવેલ જલારામ રણુજાધામ ખાતે પંચદશનામ આહવાન અખાડાના બ્રહ્મલીન પરમ પૂજ્ય મહંતશ્રી શિવપુરીબાપુનો સોળશી ભંડારો યોજાશે.

ધ્રોલ, વાંકીયા જલારામ-રણુજાધામના મહંત પૂ. શિવપુરીબાપુ તા. ૧૯ને શનિવારે બ્રહ્મલીન થયા છે. જેમનો સોળશી ભંડારો બે દિવસ યોજાશે. જેમાં તા. ૪ને શનિવારે રાત્રે સંતવાણીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે તા. ૫ને રવિવારે બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.

ભાવિકોને લાભ લેવા મહંત શ્રી શિવપુરીબાપુ ગુરૂશ્રી અંબાપુરીબાપુના શિષ્ય હરહૃદયપુરીબાપુ તથા ગુરૂભાઈ પરિવાર તથા ભકતોએ આમંત્રણ પાઠવ્યુ છે.

ભંડારા અંગેની વધુ વિગત માટે સેવક હરહૃદયપુરી ગુરૂ શિવપુરીબાપુ (મો. ૯૯૭૯૯ ૧૦૫૫૨), ગુરૂ પુરણપુરીબાપુ-અંબાપુરીબાપુ (મો. ૯૭૨૫૭ ૬૫૫૨૨), ગુરૂ કૈલાશપુરીબાપુ (મો. ૯૭૧૨૦ ૩૭૭૫૫), ગુરૂ બાલયોગીબાપુ (મો. ૯૮૨૪૨ ૩૫૯૬૪), વિનુભાઈ રવજીભાઈ કાકડીયા (મો. ૯૬૬૨૦ ૪૩૭૩૬), શામજીભાઈ મોહનભાઈ બોરસદીયા (મો. ૯૯૭૯૦ ૮૩૯૪૮), રાજુભાઈ માધાભાઈ ઝાપડા (મો. ૯૯૭૮૭ ૯૨૨૪૧), વલ્લભભાઈ ચકુભાઈ રામાણી (મો. ૯૫૩૭૫ ૪૭૪૮૭), રઘુભા કેશુભા જાડેજા (મો. ૯૭૧૨૪ ૫૧૨૨૫), વનરાજસિંહ જીલુભા (મો. ૯૮૨૫૮ ૧૬૭૧૩), મંગાભાઈ સોંડાભાઈ (મો. ૯૦૯૯૬ ૪૨૨૪૫), સરપંચ રમેશભાઈ ડાયાભાઈ (મો. ૯૯૨૪૨ ૬૯૪૨૩), જેન્તીભાઈ કુંવરજીભાઈ ભીમાણી (મો. ૯૯૨૫૭ ૮૨૧૨૦), દિનેશભાઈ મોહનભાઈ (મો. ૯૯૯૮૬ ૭૫૪૬૫), રસીકભાઈ ખીમજીભાઈ ધાડીયા (મો. ૯૭૨૭૬ ૪૮૧૬૨), પ્રવીણભાઈ ધનજીભાઈ ધાડીયા (મો. ૮૧૫૬૦ ૩૨૯૦૮) ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:17 pm IST)