Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

બાબરાના વાવડામાં ભિક્ષુકનું ભુખમરાથી મોત

અમરેલી, તા. ૩ : બાબરા પંથકના વાવડા ગામે રહેતા અને ભિક્ષાવૃતી કરી જીવન ગાળતા વિપ્ર મનહરભાઇ વ્યાસ નામના ર૪ વર્ષની લાશ તેના ઘરમાં યજ્ઞકુંડની પાસેથી મળી આવતા તેનું ભુખમરાથી મોત નિપજયાનું બહાર આવવા પામેલ છે. આ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી જવા પામી છે.

આધેડ ખેડુતનું મોત

બાબરાના કલોરાણામાં રહેતા જેરામભાઇ નરશીભાઇ વાઘેલા નામના પ૦ વર્ષના ખેડૂત આધેડનું ખેતરમાં ઝેરી જાનવર કરડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

કતલખાને લઇ જતા મુસ્લિમ શખ્સ ઝડપાયો

અમરેલીમાં રહેતો અનવર સતારભાઇ તેલી નામનો શખ્સ ટ્રકમાં ગેરકાયદેસર ઘાસચારોની વ્યવસ્થા વગર ક્રુરતા પૂર્વક ભેસ નંગ-૮ને બાંધી કતલખાને લઇ જતા આકાળા ગામ પાસેથી પોલીસે તેને ઝડપી લીધો હતો. ભેસ તથા ટ્રક મળી કુલ પ,૮૦૦૦નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

(3:38 pm IST)