Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ભાવનગર આર્યસમાજ દ્વારા આર્ય દળનો પ્રારંભ

ભાવનગર, તા.૩:  માંઆર્યવીર દળ શાખાનો શુભારંભ આર્યસમાજ ભાવનગર ખાતે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ વૈદિક પરિવાર તથા આર્યસમાજ ભાવનગરના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વૈદિક પરિવારના ટ્રસ્ટી શ્રીઅરવિંદભાઈ રાણા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમહેન્દ્રભાઈ ગાંધી, આર્યવીર દળના મુખ્ય સંચાલક શ્રી કમલભાઈ દવે, ભાવનગર આર્યસમાજના પ્રધાન શ્રી રાજેશભાઇ પારેખ અને મંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ હતા. સંકલનકર્તા શ્રી હેમંતભાઈ હતા. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક યજ્ઞ પ્રગટ કરીને કર્યો હતો.

શ્રી મહેન્દ્રભાઈ ગાંધીએ સંસ્કૃતિ અને સેવા પર વિચાર પ્રગટ કરતા કહ્યું હતું કે દયા, પ્રેમ, સમર્પણ, દાનવૃત્ત્િ।, તેજસ્વીતા આદિ સંસ્કૃતિ અંદરની વસ્તુ છે જયારે સેવા એટલે વિના અપેક્ષાએ કર્તવ્યભાવનાથી દિલથી કેવળ આપવાની વસ્તુ છે. આર્યવીર દળના બાળકોએ અત્રે પ્રવેશ મેળવી શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત બનવા તથા મસ્તિષ્ક અને હદયનો સુમેળ કરી વિશેષ તજજ્ઞતા મેળવવા અનુરોધ કર્યો હતો. શ્રી અરવિંદભાઈ રાણાએ પોતાના વકતવ્યમાં બાળકોને સત્યની સાથે શકિતનું અર્જન કરવા ભાર મુકયો હતો અને માતા પિતાના ઉપકારોને યાદ કરી તેમના આદેશનું શતપ્રતિશત પાલન કરી સાચું પ્રાતઃ વંદન કરવા જણાવ્યું હતું.  શ્રી રાજેશભાઈએ આર્યવીર દળનો શુભારંભ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને અંતે તેમણે આભારવિધિ કરી હતી.(૨૨.૨)

 

(1:45 pm IST)