Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ગોંડલમાં રસ્તાના ખોદાણને કારણે પડી જતા વેપારી સુરેશભાઇ જોગીનું મોત

તસ્વીરમાં ખોદાયેલ રસ્તો અને વેપારીનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ હરેશ ગણોદીયા-ગોંડલ)

ગોંડલ, તા., ૩: ગોંડલ મોટી બજાર કામદાર શેરીમાં રહેતા અને છુટક કાપડનો વેપાર કરતા શેરીમાં રોડના ખોદાણને લઇને અકસ્માતે ગબડી પડતા સુરેશભાઇ નામના આધેડનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.

બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોંડલ મોટીબજારમાં આવેલ કામદાર શેરી રહેતા અને છુટક કાપડનો વેપાર કરતા સુરેશભાઇ નાનજીભાઇ જોગી (ઉ.વ.પપ) રોડના ખોદાણને લઇને અકસ્માતે ગબડી પડતા વેપારી આઘેડનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું. મૃતક સુરેશભાઇને એક પુત્ર હોવાનું અને તે રાજકોટ બંગડીના કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળેલ હતું. બનાવની તપાસ સીટી પોલીસે હાથ ધરી કાર્યવાહી કરેલ હતી.

(12:14 pm IST)