Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રવિવારે જુનાગઢના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવ ઉજવાશે

જુનાગઢ તા. ૩ : જુનાગઢના આંગણે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિઓનો ત્રયોદશ પાટોત્સવ આગામી તા.પને રવિવારે ઉજવાનાર છે .

જેમા રવિવારે સાંજે પ થી ૬ મહાપુજા વિધિ અને સાંજે ૬ થી ૭-૩૦ પાટોત્સવ સભા અને રાત્રે ૮ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરાયુ છે. આ અવસરે સંસ્થાના વડીલ સંતો આશિવર્ચન આપશે તો આ પ્રસંગે સૌહરિભકતોને લાભ લેવા મંદિરના મહંત સાધુ યોગી સ્વરૂપદાસ અને કોઠારી સાધુ ધર્મવિનયદાસએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

(11:43 am IST)